Search
Close this search box.
Search
Close this search box.

માનવતા મહેકી: ડીસામાં અજાણ્યા વૃદ્ધના અંતિમ સંસ્કાર કરાયા…!

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ભૂપતસિંહના સહયોગથી અને સેવાભાવી યુવાનોના પ્રયાસોથી, ચાર દિવસ પૂર્વે મૃત્યુ પામેલા એક અજાણ્યા વૃદ્ધના આજે બપોરે જુનાડીસા અંતિમધામ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. મૃતદેહ અત્યંત દુર્ગંધ મારતો હોવા છતાં, માનવતાની ભાવનાથી પ્રેરાઈને આ સેવાકાર્ય પાર પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરધનભાઈ મુરજીભાઈ ઝાલા (ઉંમર 78), રહેવાસી ખારી નદી, ભૂતનાથ મહાદેવ મંદિર, ભુજ સિટી, કચ્છવાળા, તારીખ 23/05/2025 ના રોજ સાંજે 4:15 કલાકે ડીસા લક્ષ્મણનારાયણ સોસાયટીમાં જવાના નાકા પાસે મૃત્યુ પામ્યા હતા. તેમનો પી.એમ. કરાવ્યા બાદ લાશને ડીસા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમના વાલી-વારસની શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ સગા-સંબંધી ન મળતાં, આજે પાંચમા દિવસે તારીખ 27/05/2025 ના રોજ બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો.

હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ભૂપતસિંહ ડીસા દક્ષિણ પોલીસ, રાહુલ ઠાકોર, મેહુલ ઠક્કર અને અન્ય સેવાભાવી વ્યક્તિઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો. લાશ કોલ્ડ રૂમમાં હોવા છતાં ખૂબ જ દુર્ગંધ મારતી હતી, છતાં પણ સેવાભાવી મિત્રો અને પોલીસના સાથથી સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક અંતિમ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યા. આ ઘટના સમાજમાં માનવતા અને પરોપકારની ભાવનાને ઉજાગર કરે છે.

Bharat Niasmita
Author: Bharat Niasmita

Share this post:

વધુ સમાચાર છે...

marketmystique

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल